ગયા અઠવાડિયે સોનુ સૂદના અનેક ઠેકાણે આયકર વિભાગે છાપેમારી કર્યા બાદ તેના પર 20 કરોડના ટેક્સની ચોરીનો આરોપ મૂક્યો છે. હવે સોનુ સૂદે પહેલીવાર આ મામલે મૌન તોડતા સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે.
સોનુ સૂદ (ફાઇલ તસવીર)
ગયા વર્ષે કોરોના વાયરસને કારણે થયેલા લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની મદદ કરીને ચર્ચામાં છવાયેલા બૉલિવૂડ અભિનેતા સોનુ સૂદ ગયા અઠવાડિયાથી અન્ય કારણસર ચર્ચામાં છે. હકીકતે આયકર વિભાગ (Income Tax)એ સોનુ સૂદ પર ઇનકમ ટેક્સની ચોરી કરવાનો આરોપ મૂક્યો છે. આયકર વિભાગે સોનુ સૂદના 6 ઠેકાણાં પર છાપેમારી કર્યા બાદ સોનુ પર 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી (Tax Evasion)નો આરોપ મૂક્યો છે. હવે સોનુ સૂદે આ મુદ્દે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.
સોનુએ આગળ લખ્યું, "હું અમુક મહેમાનોના આવોભગતમાં વ્યસ્ત હતો એટલે છેલ્લા 4 દિવસથી તમારી સેવા માટે ઉપલબ્ધ નહોતો. હવે હું એક વાર ફરી વિનમ્રતાથી તમારી સેવામાં આજીવન માટે પાછો આવ્યો છું. કર ભલા, હો ભલા, અંત ભલે કા ભલા. મારો પ્રવાસ ચાલુ રહેશે. જય હિંદ."
ADVERTISEMENT
“सख्त राहों में भी आसान सफर लगता है,
— sonu sood (@SonuSood) September 20, 2021
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” ? pic.twitter.com/0HRhnpf0sY
જણાવવાનું કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બૉર્ડ (CBDT)એ શનિવારે આરોપ મૂક્યો કે સોનુ સૂદ અને તેના સહયોગીઓએ 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે. બૉર્ડે એ પણ આરોપ મૂક્યો કે જ્યારે આયકર વિભાગે તેમના અને તેમની સાથે જોડાયેલા લખનઉ સ્થિત ગ્રુપના પરિસરોમાં છાપેમારી કરી, તો જોવા મળ્યું કે તેમણે પોતાની હિસાબ વગરની આવક કોઈક ડુપ્લિકેટ સંસ્થાઓ પાસેથી અસુરક્ષિત ઋણ તરીકે બતાવવામાં આવી. વિભાગે સોનુ સૂદ પર વિદેશીઓ પાસેથી દાન મેળવતી વખતે વિદેશી અંશદાન વિનિયમન અધિનિયમ (FCRA)ના ઉલ્લંઘનના પણ આરોપ મૂક્યા છે.