તાજેતરમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે `ખરાબ નિર્ણયો` અને `નવા અંત` વિશે વાત કરી છે.
શિલ્પા શેટ્ટી (તસવીર: AFP)
પોર્ન ફિલ્મ કેસ મામલે રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી ચર્ચા છે. તાજેતરમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે `ખરાબ નિર્ણયો` અને `નવા અંત` વિશે વાત કરી છે. શિલ્પાની આ પોસ્ટથી લોકો મૂંઝવણમાં છે કે અભિનેત્રી આગળ શું કરવા જઇ રહી છે. શિલ્પાની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે રાજ કુન્દ્રા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
શિલ્પા શેટ્ટીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લેખક `કાર્લ બર્ગ` દ્વારા પુસ્તકનું `ન્યૂ એન્ડિંગ્સ` ચેપ્ટર શેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, `કોઈ પણ જૂના સમયમાં ફરીને નવી શરૂઆત કરી શકતું નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિ હવેથી નવી શરૂઆત કરીને ચોક્કસપણે નવો અંત લાવી શકે છે`, આગળ લખ્યું છે કે આપણે ગમે તેટલું ભૂતકાળનું આંકલન કરીએ પરંતુ આપણે તેને બદલી શકતા નથી, આપણા ખોટા નિર્ણયો, આપણે જે ભૂલો કરી છે, મિત્રો જેને આપણે દુઃખ પહોંચાડ્યું હોય.`
ADVERTISEMENT
આગળ લખ્યું હતું કે `પણ આપણે ચોક્કસપણે નવી રીતે આગળ વધી શકીએ છીએ. વધુ સારા નિર્ણયો લઈને, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરીને..અને આપણી આસપાસના લોકો સાથે વધુ સારા બનીને. આપણી જાતને બદલવાની આપણી પાસે અસંખ્ય તકો છે. આ પછી છેલ્લે લખવામાં આવ્યું છે કે `મેં ભૂતકાળમાં જે કર્યું છે તેનાથી મને વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. ભવિષ્યમાં હું જે ઇચ્છું તે કરી શકું છું `.
તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી જમ્મુના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરે દર્શન કરવા ગઈ હતી. જ્યાં તે માતા રાનીને ચીયર કરતી પણ જોવા મળી હતી. તે ઘોડા પર સવાર થઈને મંદિર પહોંચી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના સમાચારો અનુસાર, શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે રાજ કુન્દ્રાના કામો વિશે વધારે જાણતી નથી. કારણ કે તે પોતે તેના કામમાં ખૂબ વ્યસ્ત હતી.