Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું શિલ્પા શેટ્ટી લેવા જઈ રહી છે કોઈ મોટો નિર્ણય ? અભિનેત્રીએ કરી આવી પોસ્ટ, જાણો વધુ 

શું શિલ્પા શેટ્ટી લેવા જઈ રહી છે કોઈ મોટો નિર્ણય ? અભિનેત્રીએ કરી આવી પોસ્ટ, જાણો વધુ 

18 September, 2021 04:36 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાજેતરમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે `ખરાબ નિર્ણયો` અને `નવા અંત` વિશે વાત કરી છે.

શિલ્પા શેટ્ટી (તસવીર: AFP)

શિલ્પા શેટ્ટી (તસવીર: AFP)



પોર્ન ફિલ્મ કેસ મામલે રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી ચર્ચા છે. તાજેતરમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે `ખરાબ નિર્ણયો` અને `નવા અંત` વિશે વાત કરી છે. શિલ્પાની આ પોસ્ટથી લોકો મૂંઝવણમાં છે કે અભિનેત્રી આગળ શું કરવા જઇ રહી છે. શિલ્પાની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે રાજ કુન્દ્રા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

શિલ્પા શેટ્ટીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લેખક `કાર્લ બર્ગ` દ્વારા પુસ્તકનું `ન્યૂ એન્ડિંગ્સ` ચેપ્ટર શેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, `કોઈ પણ જૂના સમયમાં ફરીને નવી શરૂઆત કરી શકતું નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિ હવેથી નવી શરૂઆત કરીને ચોક્કસપણે નવો અંત લાવી શકે છે`, આગળ લખ્યું છે કે  આપણે ગમે તેટલું ભૂતકાળનું આંકલન કરીએ પરંતુ આપણે તેને બદલી શકતા નથી, આપણા ખોટા નિર્ણયો, આપણે જે ભૂલો કરી છે, મિત્રો જેને આપણે દુઃખ પહોંચાડ્યું હોય.`



આગળ લખ્યું હતું કે `પણ આપણે ચોક્કસપણે નવી રીતે આગળ વધી શકીએ છીએ. વધુ સારા નિર્ણયો લઈને, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરીને..અને આપણી આસપાસના લોકો સાથે વધુ સારા બનીને. આપણી જાતને બદલવાની આપણી પાસે અસંખ્ય તકો છે. આ પછી છેલ્લે લખવામાં આવ્યું છે કે `મેં ભૂતકાળમાં જે કર્યું છે તેનાથી મને વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. ભવિષ્યમાં હું જે ઇચ્છું તે કરી શકું છું `.


તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી જમ્મુના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરે દર્શન કરવા ગઈ હતી. જ્યાં તે માતા રાનીને ચીયર કરતી પણ જોવા મળી હતી. તે ઘોડા પર સવાર થઈને મંદિર પહોંચી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના સમાચારો અનુસાર, શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે રાજ કુન્દ્રાના કામો વિશે વધારે જાણતી નથી. કારણ કે તે પોતે તેના કામમાં ખૂબ વ્યસ્ત હતી. 
    


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2021 04:36 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK