બૉલીવુડ સહિત તામિલ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અચાનક કોરોનાના કેસ વધી રહ્યા છે.
સત્યરાજ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
સત્યરાજ એટલે કે કટપ્પા રિકવર થતાં તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ મળી ગયો છે. તેમને ચેન્નઈની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમની બૉડીએ ટ્રીટમેન્ટને સારો રિસ્પૉન્સ આપ્યો હોવાથી તેઓ જલદી કોરોનામાંથી રિકવર થઈ ગયા હતા. તેમને સોમવારે રાતે હૉસ્પિટલમાંથી છુટ્ટી આપવામાં આવી હતી અને તેઓ હવે ઘરે જતા રહ્યા છે. તેમનો રિપોર્ટ તો નેગેટિવ આવ્યો છે પરંતુ એક અઠવાડિયા સુધી તેમને ઘરમાં ક્વૉરન્ટીન રહેવા માટે કહેવામાં આવ્યું છે. બૉલીવુડ સહિત તામિલ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અચાનક કોરોનાના કેસ વધી રહ્યા છે.