વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું કે તે આજે મન્સૂરને મિસ કરી રહી છે. ફિલ્મની સફળતાનો શ્રેય તો તેણે સુશાંતને આપ્યો જ પણ સાથે કહ્યું કે તે હંમેશા તેના માટે ખાસ રહેશે. અંતમાં સારાએ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓનો પણ આભાર માન્યો હતો.
મિડ-ડે ફાઇલ તસવીર
કેદારનાથ દુર્ઘટના પર બનેલી ફિલ્મ `કેદારનાથ`એ હાલમાં જ 3 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને (Sara Ali Khan) તેની ડેબ્યૂ ફિલ્મમાં તેના કો-સ્ટાર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને (Sushant Singh Rajput) યાદ કર્યો. ફિલ્મ અને અભિનેતાની પોતાની યાદોને યાદ કરતા સારાએ ફિલ્મનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતી વખતે અભિનેત્રીએ એક ઈમોશનલ નોટ પણ લખી હતી. સુશાંતે ફિલ્મમાં મન્સૂરનું પાત્ર ભજવ્યું હતું. વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું કે તે આજે મન્સૂરને મિસ કરી રહી છે. ફિલ્મની સફળતાનો શ્રેય તો તેણે સુશાંતને આપ્યો જ પણ સાથે કહ્યું કે તે હંમેશા તેના માટે ખાસ રહેશે. અંતમાં સારાએ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓનો પણ આભાર માન્યો હતો.
સારાએ તેની પોસ્ટ શેર કરતા લખ્યું, "3 વર્ષ પહેલા મારું સૌથી મોટું સપનું સાકાર થયું. હું અભિનેત્રી બની અને મારી પહેલી અને સૌથી ખાસ ફિલ્મ રિલીઝ થઈ. મને ખબર નથી કે હું ક્યારેય સમજાવી શકીશ કે કેદારનાથ મારા માટે કેટલું છે. શું મહત્વનું છે તે જગ્યા, તે ફિલ્મ, યાદો, બધું. પરંતુ આજે હું ખરેખર મારા મન્સૂરને મિસ કરું છું."
ADVERTISEMENT
View this post on Instagram
તેણે આગળ લખ્યું, `સુશાંતના અતૂટ સમર્થન, નિઃસ્વાર્થ મદદ, સતત માર્ગદર્શન અને દયાળુ સલાહને કારણે જ મુક્કૂ તમારા હૃદય સુધી પહોંચી શકી. કેદારનાથથી એન્ડ્રોમેડા. સુશાંત તને હંમેશા યાદ કરીશ. મારા પર વિશ્વાસ કરવા બદલ રોની સ્ક્રુવાલા, અભિષેક કપૂરનો આભાર.
આ પહેલા ફિલ્મના નિર્માતા અભિષેક કપૂરે પણ ફિલ્મના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટ દ્વારા ફિલ્મના સમગ્ર કલાકારો અને તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા જલ્દી જ ફિલ્મ `અતરંગી રે`માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ધનુષ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ડિઝની+ હોટસ્ટાર પર 24 ડિસેમ્બરે પ્રસારિત થશે.