Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાયરા બાનુને મળ્યો હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

સાયરા બાનુને મળ્યો હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

06 September, 2021 11:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ શુગરની તકલીફ થઈ હતી

સાયરા બાનુ

સાયરા બાનુ


સાયરા બાનુને ગઈ કાલે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. તેમને ખારની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ શુગરની તકલીફ થઈ હતી. જુલાઈમાં દિલીપકુમારનું નિધન થયા બાદ સાયરા બાનુ એકલાં પડી ગયાં છે. એને કારણે લોકો એવી અટકળો લગાવતા હતા કે તેઓ કદાચ ડિપ્રેશનનો શિકાર થયાં હશે. તેમની સારવાર કરતા ડૉક્ટર નીતિન ગોખલેએ કહ્યું હતું કે ‘સાયરાજી ડિપ્રેશનનો શિકાર નથી બન્યાં. સાથે જ તેમણે ઍન્જિયોગ્રાફી માટે પણ મનાઈ નથી કરી. મેં પહેલાં પણ કહ્યું હતું કે જ્યારે તેમનો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવી જશે ત્યારે ઍન્જિયોગ્રાફી કરવામાં આવશે. એથી સવાલ જ નથી થતો કે તેમણે ઍન્જિયોગ્રાફી માટે ના પાડી હોય.’

તેમની તબિયત વિશે સાયરા બાનુના ફૅમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ કહ્યું હતું કે ‘સાયરાજી સ્વસ્થ છે. તેમને ડિસ્ચાર્જ મળી ગયો છે અને તેઓ ઘરે આવી ગયાં છે. આરામ કરી રહ્યાં છે. તમે કરેલી પ્રાર્થનાઓ માટે આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2021 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK