સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં તેઓ દેખાશે એવી ચર્ચા
રણવીર અને આલિયાની હૅટ-ટ્રિક?
સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. જો આ ફિલ્મ તેઓ કરે તો આ તેમની ત્રીજી ફિલ્મ હશે. તેમણે અગાઉ ‘ગલી બૉય’માં કામ કર્યું હતું અને હાલમાં કરણ જોહરની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કામ કરી રહ્યાં છે. તેઓ ‘બૈજુ બાવરા’નું સ્ટાર્ટ-ટુ-ફિનિશ શૂટિંગ કરવાનાં છે એવું સાંભળવા મળ્યું છે. જોકે બન્ને તરફથી હજી સુધી કોઈ ચોક્કસ જાહેરાત નથી કરવામાં આવી. સંજય લીલા ભણસાલીની આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. કરણ જોહરની ફિલ્મ પૂરી કર્યા બાદ તેઓ આ વર્ષે શૂટિંગ પણ શરૂ કરી દે એવી શક્યતા છે. આ બન્ને ‘બૈજુ બાવરા’ની તૈયારી કરી રહ્યાં છે. હાલમાં ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં આલિયા જોવા મળવાની છે. ‘બૈજુ બાવરા’ને ૨૦૨૩ના વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ૭-૮ મહિનાની અંદર પૂરું કરવામાં આવશે. ફિલ્મની ટીમ ભવ્ય સ્ટુડિયોનું નિર્માણ કરી રહી છે. ફિલ્મમાં રણવીર અને આલિયા સાથે વધુ એક ફીમેલ લીડને લેવામાં આવશે. એની તલાશ ચાલી રહી છે. જોકે સંજય લીલા ભણસાલીની ઇચ્છા છે કે દીપિકા આ રોલ માટે હામી ભરી દે. રણવીર અને દીપિકાએ આ અગાઉ ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા : રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં પણ સાથે કામ કર્યું હતું.