તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ છે
રણધીર કપૂર
કોરોનાની સારવાર લઈ રહેલા રણધીર કપૂરે જલદી જ સ્વસ્થ થઈને ઘરે પાછા જવાની આશા વ્યક્ત કરી છે. તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ છે. હાલમાં જ તેમને આઇસીયુમાંથી બહાર લાવવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ નથી થઈ રહી. પોતાની તબિયતની માહિતી આપતાં રણધીર કપૂરે કહ્યું હતું કે ‘હું સારી રીતે રિકવર કરી રહ્યો છું અને જલદી જ ઘરે આવી જઈશ.’