એની જાહેરાત કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇએ કરી છે
પુનિત રાજકુમાર
૧ નવેમ્બરના દિવસે કન્નડા રાજ્યોત્સવ નિમિત્તે પુનિત રાજકુમારને ‘કર્ણાટક રત્ન’થી નવાજવામાં આવશે. એની જાહેરાત કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇએ કરી છે. પુનિત રાજકુમારનું ગયા વર્ષે ૪૬ વર્ષની વયે નિધન થયું છે. પુનિતના પિતા રાજકુમારને પણ ૧૯૯૨માં ‘કર્ણાટક રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુનિત ‘અપ્પુ’ના નામે ખૂબ ફેમસ હતો. તેને બાળ કલાકાર તરીકે નૅશનલ અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે ૨૦૦૨માં લીડ ઍક્ટર તરીકે શરૂઆત કરી હતી. પુનિત અનેક સામાજિક સેવા માટે પણ જાણીતો હતો. તેને આ સન્માન આપવા વિશે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇએ કહ્યું કે ‘અમે પુનિત રાજકુમારને ૧ નવેમ્બરે ‘કર્ણાટક રત્ન’ અવૉર્ડ આપવાનું નક્કી કર્યું છે. અમે એના માટે એક સમિતિ બનાવવાના છીએ અને એમાં પુનિત રાજકુમારના પરિવારને પણ સામેલ કરવાના છીએ. પૂરા સન્માન સાથે આ આપવામાં આવશે.’