પ્રિયંકાનું માનવું છે કે એકસમાન મંજિલ સુધી પહોંચવા માટે ધર્મ એક નકશાની ભૂમિકા ભજવે છે
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
નિક જોનસ જ્યારે પણ કોઈ નવા કામની શરૂઆત કરે તો પ્રિયંકા ચોપડા જોનસને તે પહેલાં પૂજા કરવા કહે છે. તેઓ એકબીજાના કલ્ચરને પૂરતો આદર અને સન્માન આપે છે. આ બન્ને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને હંમેશાં શૅર કરે છે. પ્રિયંકાનું માનવું છે કે એકસમાન મંજિલ સુધી પહોંચવા માટે ધર્મ એક નકશાની ભૂમિકા ભજવે છે. આ ધર્મનો માર્ગ ભગવાન પાસે લઈ જાય છે. તમે કયા ધર્મને અનુસરો છો એનાથી કોઈ ફરક નથી પડતો. આપણે બધા એક જ દિશામાં આગળ વધીએ છીએ. તાજેતરમાં જ પ્રિયંકાએ જણાવ્યું હતું કે ‘હું ઘરમાં ખૂબ પૂજાપાઠ કરતી રહું છું જેમ કે પ્રાર્થના સમારોહ. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરતાં પહેલાં નિક મને પૂજા કરવા કહે છે. મેં હંમેશાં મારા જીવનમાં દરેક કામની શરૂઆત પ્રાર્થના સાથે કરી છે. અમારા બન્નેનો ઉછેર પણ એવી રીતે જ થયો છે. એથી અમારા પરિવારમાં પણ અમે એ જ માહોલ બનાવવા માગીએ છીએ.’