તેઓ કદાચ ડેસ્ટિનેશન વેડિંગ માટે અમદાવાદ અથવા ઉદયપુર પર પસંદગી ઉતારવાનાં છે
૯ જુલાઈએ ડેસ્ટિનેશન વેડિંગ કરશે પાયલ અને સંગ્રામ
પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંહ ૯ જુલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ જવાનાં છે. તેઓ કદાચ ડેસ્ટિનેશન વેડિંગ માટે અમદાવાદ અથવા ઉદયપુર પર પસંદગી ઉતારવાનાં છે. લગ્નમાં માત્ર નજીકનાં સગાં અને ફ્રેન્ડ્સને જ બોલાવવામાં આવશે. ત્યાર બાદ ફ્રેન્ડ્સ અને કલીગ્સ માટે મુંબઈમાં રિસેપ્શન યોજશે. લગ્નની પુષ્ટિ કરતાં સંગ્રામ સિંહે કહ્યું કે ‘પાયલ અને હું ૯ જુલાઈએ
લગ્ન કરવાનાં છીએ. મારી મમ્મી અને બહેને લગ્નની તારીખ નક્કી કરવા માટે મદદ કરી હતી. અમે હજી લગ્નનું સ્થળ નક્કી કરવા વિશે વિચારી રહ્યાં છીએ. અમે ડેસ્ટિનેશન વેડિંગ અમદાવાદ અથવા ઉદયપુરમાં કરવાનાં છીએ. એમાં વધારે હંગામો પણ નહીં કરવામાં આવે. અમારા પરિવારમાં એક સગાનું નિધન થતાં લગ્ન બે વખત પોસ્ટપોન્ડ કરવાં પડ્યાં હતાં. હું જાણતો હતો કે મને પાયલ જેવી પાર્ટનર નહીં મળે અને લગ્ન કરતાં અગાઉ એ જ વસ્તુ મહત્ત્વની હોય છે. પાયલ કે તેના પરિવારે મારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી કર્યું.’