તાજેતરમાં જ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રિ અને અભિનેતા મુકેશ ખન્નાના નિધનની અફવા ઉડાડવામાં આવી ત્યારે તેમણે પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાના જીવીત હોવાની સાબિતી આપી હતી.
પરેશ રાવલ (ફાઇલ ફોટો)
સોશિયલ મીડિયા પર હાલ કોઇના પણ નિધનની અફવા ઉડાડી દેવામાં આવે છે. તાજેતરમાં જ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રિ અને અભિનેતા મુકેશ ખન્નાના નિધનની અફવા ઉડાડવામાં આવી ત્યારે તેમણે પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાના જીવીત હોવાની સાબિતી આપી હતી.
હવે શુક્રવારે પરેશ રાવલને શ્રદ્ધાંજલિ આપતા એક પોસ્ટ શૅર કરવામાં આવી, જેનો જવાબ વેટરન એક્ટરે પોતે મજાક કરતા કરતા આપ્યો છે. લાફ્ટર હાઉસ નામના આ અકાઉન્ટ પરથી પરેશ રાવલના નિધનના સમાચાર શૅર કરતા લખવામાં આવ્યું, "આજે 14 મે 2021ના સવારે 7 વાગ્યે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહી ચૂકેલા પરેશ રાવલજીનું નિધન થયું."
ADVERTISEMENT
આની સાથે જ તેમનો ફોટો જોડવામાં આવ્યો અને તસવીર પર લખાયું અત્યંત દુઃખ સાથે જણાવવામાં આવે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહી ચૂકેલા પરેશ રાવલ આપણી વચ્ચે નથી રહ્યા. આ પોસ્ટને રીટ્વીટ કરતા પરેશ રાવલે લખ્યું, "તમારી મિસ અન્ડરસ્ટેન્ડિંગ માટે ક્ષમાપ્રાર્થી છું, કારણકે હું 7 વાગ્યા પછી પણ સૂઇ રહ્યો."
?...Sorry for the misunderstanding as I slept past 7am ...! pic.twitter.com/3m7j8J54NF
— Paresh Rawal (@SirPareshRawal) May 14, 2021
પરેશ રાવલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ટ્વીટ્સ દ્વારા ફૉલોવર્સ સાથે વાતચીત કરતા રહે છે. હાલના મુદ્દાઓ પર પણ બોલતા રહે છે. ફિલ્મોની વાત કરીએ તો ફરહાન અખ્તરની તૂફાનમાં તે તેમના બૉક્સિંગ કોચના રોલમાં દેખાશે. આ ફિલ્મ 21 મેના રોજ અમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની હતી, પણ આની રિલીઝ હાલ સ્થિતિને જોતા અટકાવી દેવામાં આવી છે.
પરેશ રાવલ છેલ્લે 2020માં રિલીઝ થયેલી ફિલ્મ કુલી નંબર 1માં દેખાયા હતા, જે પ્રાઇમ પર જ આવી હતી. 2019માં તેમની બે ફિલ્મો મેડ ઇન ચાઇના અને ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક રિલીઝ થઈ હતી. ફિલ્મમાં તેમણે સુરક્ષા સલાહકાર અજીત ડોભાલથી પ્રેરિત પાત્ર ભજવ્યું હતું.