મેં તેમને કહ્યું છે કે મારા દિલમાં રહો, મારા માથા પર ન બેસો. મહામારી દરમ્યાન રિદ્ધિમા મારી સાથે રહેતી હતી. એ એક વર્ષ સુધી હું ખૂબ સ્ટ્રેસમાં હતી, કારણ કે તે પોતાના ઘરે નહોતી જઈ શકતી.
નીતૂ સિંહ
નીતુ કપૂરનું કહેવું છે કે તે પોતાનાં બાળકોને દિલમાં સ્થાન આપે છે અને તેમને માથા પર ચડવા નથી દેવાં. રિશી કપૂરનું અવસાન થયું ત્યારથી રિદ્ધિમા કપૂર સાહની તેની મમ્મી નીતુ કપૂર સાથે રહે છે. જોકે તેનું એમ પણ કહેવું છે કે તેને પ્રાઇવસી પસંદ છે. એ વિશે નીતુ કપૂરે કહ્યું હતું કે ‘હું ચાહું છું કે મારાં બાળકો પોતાની લાઇફમાં બિઝી રહે. મેં તેમને કહ્યું છે કે મારા દિલમાં રહો, મારા માથા પર ન બેસો. મહામારી દરમ્યાન રિદ્ધિમા મારી સાથે રહેતી હતી. એ એક વર્ષ સુધી હું ખૂબ સ્ટ્રેસમાં હતી, કારણ કે તે પોતાના ઘરે નહોતી જઈ શકતી. હું અસ્વસ્થ થઈ ગઈ હતી. હું રિદ્ધિમાને સતત કહેતી હતી કે તારે ઘરે જવું જોઈએ. ભરત ઘરે એકલા છે. ખરું કહું તો મેં તેને ધક્કો મારીને તેના ઘરે મોકલી હતી. મને પ્રાઇવસી પસંદ છે. આ રીતે જ હું મારી લાઇફ જીવવા માગું છું.’
૦૦૦