માનુષીએ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી
માનુષી છિલ્લર
માનુષી છિલ્લરનું કહેવું છે કે તે આગામી ફિલ્મ ‘તેહરાન’ દ્વારા પોતાની જાતને ચૅલેન્જ આપવાની આશા રાખી રહી છે. ૨૦૧૭માં મિસ વર્લ્ડ બન્યા બાદ માનુષીએ થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. રાજકુમારી સંયોગિતાના રોલમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. હવે તે જૉન એબ્રાહમ સાથે ‘તેહરાન’માં દેખાવાની છે. દિનેશ વિજન એને પ્રોડ્યુસ અને અરુણ ગોપાલન એને ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ વિશે માનુષીએ કહ્યું કે ‘હા, મેં જૉન એબ્રાહમ સાથે ‘તેહરાન’નું બીજું શેડ્યુલ શરૂ કર્યું છે. આ એક પ્રમાણ છે કે મને એવા રોલ આપવામાં આવી રહ્યા છે જેમાં હું અલગ પાત્રોને એક્સપ્લોર કરી શકું છું. ‘તેહરાન’ને લઈને હું અતિશય ઉત્સાહી છું કે જેના દ્વારા મને મારી જાતને એક નવા અવતારમાં રજૂ કરવાની તક મળશે. ઉપરાંત ફિલ્મમાં મારા રોલની સાથે મને એક ઍક્ટર તરીકે શીખવાની સાથે આગળ વધવાની પણ તક મળશે. આ એક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે અને મારા અનોખા રોલને કારણે હું ખૂબ એક્સાઇટેડ છું. મારા પ્રોડ્યુસર દિનેશ વિજન મને ખૂબ સપોર્ટ કરે છે. ‘તેહરાન’નો મારો પહેલો લુક આવ્યા બાદ મને ખરેખર ખૂબ પ્રેમ મળ્યો છે. રોલ્સ સાથે એક્સપરિમેન્ટ કરવાની મજા આવે છે અને આશા છે કે મને મારા રોલ માટે મારી જાતને ચૅલેન્જ કરવાની તક મળશે.’