નિખિલ ઝીરોધા નામની કંપનીનો કો-ફાઉન્ડર છે.
માનુષી છિલ્લર
માનુષી છિલ્લરનું અફેર બિઝનેસમૅન નિખિલ કામત સાથે હોવાની ચર્ચા ચાલી રહી છે. નિખિલ ઝીરોધા નામની કંપનીનો કો-ફાઉન્ડર છે. એવું જાણવા મળ્યું છે કે ૨૦૨૧થી તેઓ એકબીજાના સંપર્કમાં છે. આ બન્ને છાશવારે ટ્રિપ્સ પર પણ જાય છે. તાજેતરમાં તેઓ હૃષીકેશ જઈ આવ્યાં હતાં. બન્નેનાં રિલેશન ખૂબ સ્ટ્રૉન્ગ બની રહ્યાં હોવાની ચર્ચા છે. હાલમાં માનુષી પોતાની બૉલીવુડ કરીઅર પર ધ્યાન આપવા માગે છે એથી પોતાની પર્સનલ લાઇફ વિશે તે કાંઈ કહેવા નથી માગતી. બન્નેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ તેમના આ રિલેશનથી અવગત છે. નિખિલ કામત ડિવૉર્સી છે. ૨૦૧૯ની ૧૮ એપ્રિલે તેણે ઇટલીના ફ્લોરેન્સમાં એમન્ડા પૂર્વણકર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે તેમની વચ્ચે સંબંધ વધુ સમય સુધી ટકી શક્યા નહીં અને બન્નેએ ૨૦૨૧માં ડિવૉર્સ લઈ લીધા હતા. હવે જોવાનું એ રહ્યું કે માનુષી અને નિખિલ પોતાના રિલેશનને ક્યારે જાહેર કરે છે.