‘મને એવું લાગે છે કે અમારી ફિલ્મ ‘કબીર સિંહ’ની ફ્રૅન્ચાઇઝી બનાવવી જોઈએ. એ એક આઇકૉનિક કૅરૅક્ટર છે અને એનો બીજો પાર્ટ બનાવવો જોઈએ.’
‘કબીર સિંહ’ અને ‘ભૂલભુલૈયા’ની ફ્રૅન્ચાઇઝી બનાવવાના સંકેત આપ્યા મેકર્સે
ભૂષણ કુમારે સંકેત આપ્યા છે કે કદાચ તેઓ ‘કબીર સિંહ’ની ફ્રૅન્ચાઇઝી બનાવી શકે છે. તો મુરાદ ખેતાણીએ પણ ‘ભૂલભુલૈયા 3’ બનાવવાના સંકેત આપ્યા છે. શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ‘કબીર સિંહ’ સાઉથની ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રીમેક હતી. એને સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી હતી. ૨૦૧૯માં આવેલી આ ફિલ્મને ભૂષણ કુમાર અને મુરાદ ખેતાણીએ સાથે મળીને પ્રોડ્યુસ કરી હતી. હવે એની સીક્વલ બનાવવાનાં એંધાણ આપતાં ભૂષણ કુમારે કહ્યું કે ‘મને એવું લાગે છે કે અમારી ફિલ્મ ‘કબીર સિંહ’ની ફ્રૅન્ચાઇઝી બનાવવી જોઈએ. એ એક આઇકૉનિક કૅરૅક્ટર છે અને એનો બીજો પાર્ટ બનાવવો જોઈએ.’
તો બીજી તરફ મુરાદ ખેતાણીએ કહ્યું કે ‘હા, એ કૅરૅક્ટર ખૂબ પૉપ્યુલર છે એથી એની સ્ટોરી બનાવવા વિશે વિચારવું જોઈએ. ‘ભૂલભુલૈયા’ની ફ્રૅન્ચાઇઝીને અમે આગળ લઈ જઈશું. એમાં સ્કોપ છે. યોગ્ય સમયે અમે એની જાહેરાત કરીશું.’