Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માધવન ‘રહના હૈ તેરે દિલ મેં’ની રીમેક બનાવવાને મૂર્ખતા માને છે

માધવન ‘રહના હૈ તેરે દિલ મેં’ની રીમેક બનાવવાને મૂર્ખતા માને છે

29 June, 2022 06:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૧માં આવેલી આ ફિલ્મમાં તેની સાથે દિયા મિર્ઝા અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં હતાં

માધવન ‘રહના હૈ તેરે દિલ મેં’ની રીમેક બનાવવાને મૂર્ખતા માને છે

માધવન ‘રહના હૈ તેરે દિલ મેં’ની રીમેક બનાવવાને મૂર્ખતા માને છે


આર. માધવનનું કહેવું છે કે તેની ‘રહના હૈ તેરે દિલ મેં’ની રીમેક બનાવવી એ મૂર્ખતા સમાન છે. ૨૦૦૧માં આવેલી આ ફિલ્મમાં તેની સાથે દિયા મિર્ઝા અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં હતાં. હાલમાં ફિલ્મોની સીક્વલ અને રીમેકનું ચલણ વધી ગયું છે. ફિલ્મને ગૌતમ વાસુદેવ મેનને ડિરેક્ટ કરી હતી. હવે આ ફિલ્મની રીમેક બનવાની છે એને લઈને આર. માધવને કહ્યું કે ‘મને લાગે છે કે આ મૂર્ખામી છે અને આ મારું મંતવ્ય છે. હું એ ફિલ્મને ટચ નથી કરવા માગતો. એક પ્રોડ્યુસર તરીકે પણ એને ન બનાવું. ફિલ્મની ટીમને હું દિલથી શુભેચ્છા આપું છું. આશા છે કે તેમને સરપ્રાઇઝ મળે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ વસ્તુનું ભવિષ્ય ન ભાખી શકાય. જોકે એ ફિલ્મ સાથે મારી ખૂબ લાગણીઓ જોડાયેલી છે. દર્શકો માટે પણ આ ફિલ્મ કરતાં વિશેષ હતી. એક પ્રકારે એને ઍન્થમ કહી શકાય. આ તો એવું છે જાણે કે ૧૫ વર્ષ પછી અચાનક તમને ‘3 ઇડિયટ્સ’ની રીમેક બનાવવાનો વિચાર આવે. મને નથી લાગતું કે આમાં કોઈ સમજદારી હોય. જોકે એ તેમનો બહાદુરીભર્યો નિર્ણય કહેવાય.’


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2022 06:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK