હું દરેક ઇમોશન અનુભવી રહ્યો છું. આ સ્થિતિને લઈને હું ગભરાઈ રહ્યો છું સાથે જ આ નવી જર્નીને લઈને ઉત્સાહિત પણ છું.’
અર્જુન બિજલાની
અર્જુન બિજલાનીને ફૅમિલીને છોડીને શૂટ કરવા જવું ખૂબ અઘરું લાગી રહ્યું છે. તે ‘ખતરોં કે ખિલાડી 11’માં ભાગ લેવાનો છે. આ શો કેપટાઉનમાં થવાનો છે. અર્જુન જલદી જ ત્યાં જવાનો છે. પરિવાર વિશે અર્જુન બિજલાનીએ કહ્યું હતું કે ‘એવી કહેવત છે કે શો મસ્ટ ગો ઑન. આવા કપરા સમયમાં મારી ફૅમિલીને છોડીને ‘ખતરોં કે ખિલાડી 11’માં જવું કઠિન છે. હું દરેક ઇમોશન અનુભવી રહ્યો છું. આ સ્થિતિને લઈને હું ગભરાઈ રહ્યો છું સાથે જ આ નવી જર્નીને લઈને ઉત્સાહિત પણ છું.’