થોડા દિવસો પહેલાં તેમની હાલત ગંભીર હોવાના સમાચાર વહેતા થયા હતા. તેમની તબિયત વિશે માહિતી આપતાં પ્રવક્તા અનુષા શ્રીનિવાસન ઐયરે કહ્યું કે ‘લતાદીદીની સ્થિતિ સ્ટેબલ છે.
લતા મંગેશકર
લતા મંગેશકરની હાલત હજી પણ સ્થિર હોવાનું તેમના પ્રવક્તાએ જણાવ્યું છે. તેમને કોરોના અને ન્યુમોનિયા થયો હોવાથી તેઓ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે. તેમની ઉંમરના હિસાબે તેમને હાલમાં ડૉક્ટરોએ નિરીક્ષણ હેઠળ રાખ્યાં છે. તેમને ૯ જાન્યુઆરીથી દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં તેમની હાલત ગંભીર હોવાના સમાચાર વહેતા થયા હતા. તેમની તબિયત વિશે માહિતી આપતાં પ્રવક્તા અનુષા શ્રીનિવાસન ઐયરે કહ્યું કે ‘લતાદીદીની સ્થિતિ સ્ટેબલ છે. ડૉક્ટર જ્યારે પરવાનગી આપશે ત્યારે તેઓ ઘરે પાછાં આવશે.’