ગાયિકા લતા મંગેશકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Covid-19
લતા મંગેશકર
મુંબઈઃ ગાયિકા લતા મંગેશકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ ગાયિકા હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં સારવાર લઇ રહ્યા છે. કોવિડને કારણે લતા મંગેશકરને ન્યુમોનિયા થયો છે, જેને કોવિડ ન્યુમોનિયા કહેવાય છે. લતા મંગેશકર શનિવાર રાતથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. ભારત રત્ન લતા મંગેશકરને કોરોનાના હળવા લક્ષણો છે. તેમની તબિયત લથડતા આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Legendary singer Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid-19. She has mild symptoms: Her niece Rachna confirms to ANI
— ANI (@ANI) January 11, 2022
(file photo) pic.twitter.com/8DR3P0qbIR
વર્ષ 2019માં પણ લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરને વાયરલ અને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી. ત્યારે પણ તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા.