કીર્તિ કુલ્હારીએ પોતાની સ્ટ્રગલની સ્ટોરી સંભળાવતાં જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં રાતોરાત સાઉથની ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. એને કારણે તે ભારે ડિપ્રેશનમાં સરી ગઈ હતી.
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીએ પોતાની સ્ટ્રગલની સ્ટોરી સંભળાવતાં જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં રાતોરાત સાઉથની ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. એને કારણે તે ભારે ડિપ્રેશનમાં સરી ગઈ હતી. સાથે જ એ દરમ્યાન પર્સનલ લાઇફમાં પણ તે તનાવમાંથી પસાર થઈ રહી હતી. તેણે ‘ખિચડી ધ મૂવી’થી કરીઅરની શરૂઆત કરી હતી. પોતાની સાથે થયેલા કડવા અનુભવ વિશે વિસ્તારમાં કીર્તિએ કહ્યું હતું કે ‘મારી લાઇફમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે હું ઘણુંબધું ગુમાવી રહી હતી. આ ૨૦૦૯ની વાત છે. એ વખતે મને સાઉથની એક ફિલ્મ મળી હતી. એ દરમ્યાન મારી પર્સનલ લાઇફમાં પણ ઘણુંબધું ચાલી રહ્યું હતું. હું ખૂબ જ ખરાબ સમયમાંથી અને ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. એ વખતે મને આ ફિલ્મ મળી હતી. મેં ફિલ્મ માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ફોટોશૂટ બાદ પાછી ફરી તો એ લોકોએ મને ફિલ્મના શૂટિંગ માટે કદી પણ ન બોલાવી. મને રિપ્લેસ કરવામાં આવી હતી. મને એનો અહેસાસ પણ નહોતો થયો. મારી સાથે આવું શું કામ થયું એ પણ મને જાણ ન થઈ. વ્યક્તિગત રૂપે મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું હતું એનાથી હું હચમચી ગઈ હતી. એ દિવસે મને લાગ્યું કે હવે બધું જ ખતમ થઈ ગયું છે. હવે મારે આ રીતે જ રહેવાનું રહેશે. હું એમાંથી બહાર નહીં આવી શકું અને આ જ મારું જીવન રહેવાનું છે. એ ખૂબ ડરામણું હતું.’