કાર્તિક આર્યન અને પ્રોડ્યુસર ભૂષણકુમારે બાળકો માટે ‘ભૂલભુલૈયા 2’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું.
બાળકો માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું કાર્તિક અને ભૂષણકુમારે
કાર્તિક આર્યન અને પ્રોડ્યુસર ભૂષણકુમારે બાળકો માટે ‘ભૂલભુલૈયા 2’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. ક્રાય ફાઉન્ડેશન સાથે મળીને તેમણે સો બાળકો માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૨૭મા દિવસે ૧૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બાદ ઘણી ફિલ્મો આવી ગઈ છે, પરંતુ એ સારો દેખાવ નથી કરી શકી.