આ શો ઇન્ડિયા ટીવી પર શનિવારે રાતે દસ વાગ્યે ટેલિકાસ્ટ થવાનો છે
કાર્તિક આર્યન અને રજત શર્મા
રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં કાર્તિક આર્યન દેખાવાનો છે. આ શો ઇન્ડિયા ટીવી પર શનિવારે રાતે દસ વાગ્યે ટેલિકાસ્ટ થવાનો છે. એ શોમાં કાર્તિકની લાઇફ સાથે જોડાયેલા કેટલાક પર્સનલ અને પ્રોફેશનલ સવાલો તેને પૂછવામાં આવશે. રજત શર્મા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિક આર્યને કૅપ્શન આપી હતી, ‘લેજન્ડરી રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં હું આવવાનો છું. આ આઇકૉનિક શો જોઈને મોટો થયો છું અને આમાં ભાગ લેવો એ મારા માટે સન્માનની બાબત છે. એક વાતનો હું એકરાર કરું છું કે તેમનો સામનો કરવો અઘરું છે.’