એક ઇન્ટરવ્યુ દરમ્યાન કરણને પૂછવામાં આવ્યું હતું કે રણબીર કપૂર અને રણવીરમાંથી સારો ઍક્ટર કોણ છે?
કરણ જોહર
રણવીર સિંહ અને આલિયા ભટ્ટને આ જનરેશનનાં શાહરુખ ખાન અને કાજોલ માને છે કરણ જોહર. આ બન્ને કરણની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં દેખાવાનાં છે. કરણ જોહરે તેની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં શાહરુખ અને કાજોલને કાસ્ટ કર્યાં હતાં. આ જોડી બૉલીવુડની રોમૅન્ટિક જોડીમાંની એક છે. રણવીર અને આલિયાને શાહરુખ અને કાજોલ સાથે સરખાવતાં કરણ જોહરે કહ્યું કે ‘રણવીર અને આલિયા જ્યારે કૅમેરા સામે આવે છે તો એ કેમિસ્ટ્રી તમને જોવા મળશે; કારણ કે તેઓ બડીઝ છે, તેઓ ફ્રેન્ડ્સ છે. તેમની ફ્રેન્ડશિપ એ કેમિસ્ટ્રીમાં દેખાય છે.’
એક ઇન્ટરવ્યુ દરમ્યાન કરણને પૂછવામાં આવ્યું હતું કે રણબીર કપૂર અને રણવીરમાંથી સારો ઍક્ટર કોણ છે? એનો જવાબ આપતાં કરણ જોહરે કહ્યું કે ‘આ બન્ને ટૅલન્ટેડ જેન્ટલમેન સાથે કામ કરવાનો મારો અનુભવ સારો રહ્યો છે.’