સુશાંતને ન્યાય અપાવવા કંગના,અંકિતા અને શેખર સુમને પ્રોટેસ્ટમાં ભાગ લીધો
કંગના રણોત
સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવા કંગના રનોટ, અંકિતા લોખંડે અને શેખર સુમને કૅન્ડલ સળગાવીને ઑનલાઇન પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો. તેમણે સુશાંતના ફૅન્સને પણ આ પહેલમાં ભાગ લેવાની વિનંતી કરી હતી. કંગના હાલમાં મનાલી છે અને તેણે પણ ત્યાં કૅન્ડલ સળગાવીને ડિજિટલ પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો. સુશાંતે કરેલા સુસાઇડને એક મહિનો થયો હોવા છતાં હજી સુધી એ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો ન હોવાથી આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન સુબ્રમણ્યમ સ્વામીના વકીલ રહી ચૂકેલા ઈશકરણસિંહ ભંડારી પણ સુશાંતને ન્યાય અપાવવા આ ડિજિટલ પ્રોટેસ્ટમાં સામેલ થયા હતા. આ રીતે એક અલગ પ્રકારનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ૧૪ જૂને સુશાંતે સુસાઇડ કર્યું હતું. તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેના ફૅન્સ સુશાંતને ન્યાય અપાવવા માટેની માગણી કરી રહ્યા છે.