ઇસ્કૉન ઑડિટોરિયમમાં સંતૂરવાદક સ્વર્ગીય પંડિત શિવકુમાર શર્મા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માની શ્રદ્ધાંજલિ સભામાં ભાવુક થઈ જુહી ચાવલા
સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માની શ્રદ્ધાંજલિ સભામાં ભાવુક થઈ જુહી ચાવલા
ADVERTISEMENT
ઇસ્કૉન ઑડિટોરિયમમાં સંતૂરવાદક સ્વર્ગીય પંડિત શિવકુમાર શર્મા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકો તેમને શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે હાજર હતા. ૧૦ મેએ તેમનું ૮૪ વર્ષની વયે અવસાન થતાં તેમના પ્રશંસકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પ્રાર્થનાસભામાં હાજર જુહી ચાવલા ભાવુક થઈ ગઈ હતી. બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
ક્રીએટિવ મતભેદ થતાં ‘કભી ઈદ કભી દિવાલી’માંથી એક્ઝિટ થઈ આયુષ શર્માની?
આયુષ શર્માએ ક્રીએટિવ મતભેદ થતાં ‘કભી ઈદ કભી દિવાલી’ને છોડવાનો નિર્ણય કર્યો હોય એવુ લાગી રહ્યું છે. સલમાન ખાનની આ ફિલ્મ અગાઉ પણ વિવાદમાં ઘેરાયેલી હતી. સાજિદ નડિયાદવાલાએ પણ મતભેદ સર્જાતાં ફિલ્મને છોડી દીધી હતી. એથી સલમાન ખાને આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો ફેંસલો કર્યો હતો. બાદમાં એવું પણ સંભળાયું હતું કે ફિલ્મના ડિરેક્શનમાં પણ તે માર્ગદર્શન આપશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં પૂજા હેગડે પણ છે. સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે આયુષે આખો દિવસ તેના ભાગનું શૂટિંગ તો કર્યું પરંતુ અચાનક સલમાન ખાન ફિલ્મ્સ સાથે મતભેદ થતાં તેણે આ ફિલ્મમાંથી નીકળી જવાનું જ નક્કી કર્યું છે. હવે આ ફિલ્મ માટે આયુષના સ્થાને નવા ઍક્ટરની શોધ કરવામાં આવશે. આ ફિલ્મને આ વર્ષે ૩૦ ડિસેમ્બરે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે, પરંતુ જે રીતે ફિલ્મમાં અડચણ ઊભી થાય છે એને જોતાં રિલીઝની તારીખમાં પણ કોઈ ફેરફાર થાય તો નવાઈ નહીં.
નઝર ન લગ જાએ
કરણ જોહરની ‘જુગ જુગ જીયો’નું ટ્રેલર ગઈ કાલે જુહુના પીવીઆરમાં ખૂબ શાનદાર રીતે લૉન્ચ કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન અનિલ કપૂર, નીતુ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાણી, મનીષ પૉલ અને કરણ જોહર પણ હાજર હતાં. એ વખતે તેઓ ખૂબ મસ્તી કરતાં પણ દેખાયાં હતાં. આ પારિવારિક મનોરંજક ફિલ્મ ૨૪ જૂને રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર વરુણ ધવન અને કિયારાનાં લગ્નથી શરૂ થાય છે. બાદમાં સંબંધોમાં મતભેદ તો ઊભા થાય છે, પરંતુ એમાં કૉમેડીનો ડોઝ ઉમેરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર એના કલાકારોએ સોશ્યલ મીડિયામાં પણ શૅર કર્યું છે. ટ્રેલર-લૉન્ચ વખતે ગ્રુપ-ફોટોમાં હાજર સૌકોઈ ઓવારણાં લેતા દેખાયા હતા. સતેજ શિંદે
રાજેશ ખન્નાની ‘સફર’ પ્રોડ્યુસ કરનાર મોહમ્મદ રિયાઝનું થયું નિધન
રાજેશ ખન્નાની ‘સફર’, ‘મેરે અપને’, ‘શક્તિ’ અને ‘વિરાસત’ને પ્રોડ્યુસ કરનાર મોહમ્મદ રિયાઝનું મુંબઈમાં અવસાન થયું છે. ૭૪ વર્ષની વયે તેમણે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે મુશીરભાઈ આલમ સાથે મળીને અનેક ફિલ્મો બનાવી હતી. મુશીરભાઈનું નિધન પણ ત્રણ વર્ષ અગાઉ થયું છે. બન્નેની જોડીએ ૭૦ અને ૮૦ના દાયકામાં અનેક સુપરસ્ટાર્સ સાથે મળીને ફિલ્મો બનાવી હતી. મોહમ્મદ રિયાઝના પરિવારમાં વાઇફ, એક દીકરો અને એક દીકરી છે. તેમના અવસાનની પુષ્ટિ તેમના પરિવારે કરી છે.