Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિરિયસ પાત્રોને કારણે દિમાગ પર અસર થઈ રહી છે અમિત સિયાલના

સિરિયસ પાત્રોને કારણે દિમાગ પર અસર થઈ રહી છે અમિત સિયાલના

11 May, 2021 12:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મિર્ઝાપુર’, ‘હૉસ્ટેજિસ’ અને ‘કાઠમંડુ કનેક્શન’ જેવા શો માટે તે ખૂબ જ જાણીતો છે

અમિત સિયાલ

અમિત સિયાલ


અમિત સિયાલનું કહેવું છે કે ઇન્ટેન્સ પાત્રોથી તેના મગજ પર ખૂબ જ અસર થાય છે. ‘મિર્ઝાપુર’, ‘હૉસ્ટેજિસ’ અને ‘કાઠમંડુ કનેક્શન’ જેવા શો માટે તે ખૂબ જ જાણીતો છે. તેને હવે પોલીસનું પાત્ર નહીં, પરંતુ કૉમેડી કરવી છે. આ વિશે વાત કરતાં અમિતે કહ્યું હતું કે ‘મારે હાલમાં પોલીસનું એક પણ પાત્ર નથી કરવું. ઇન્ટેન્સ પાત્રોથી મારે થોડા સમય માટે દૂર રહેવું છે. આ પાત્રો મારા મગજ પર અસર કરી રહ્યાં છે. મારે હવે સામાન્ય પાત્રો ભજવવાં છે. સામાન્ય માણસનાં પાત્રો. ડાર્ક કૉમેડી માટે પણ હું તૈયાર છું. ઍક્ટરને તરત જ સ્ટિરિયોટાઇપ કરવામાં આવે છે. મને મોટા ભાગે પોલીસનાં પાત્રો માટે જ ઑફર આવે છે અને હું તેમને કહું છું કે મારે હવે એ નથી કરવાં.

ઍક્ટરની એ જવાબદારી છે કે સ્ટિરિયોટાઇપમાંથી તેઓ કેવી રીતે બહાર નીકળે? ૯૯ ટકા લોકો સેફ રહેવા માગે છે, પરંતુ તમારે જ તમારા વિશે વિચારવું પડે છે; અન્ય કોઈ નથી વિચારવાનું.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2021 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK