હું ઘણી સોશ્યલ ઍક્ટિવિટી કરતી હતી, કારણ કે એવાં થોડાં કાર્યો છે જે મારા દિલની ખૂબ નજીક છે. મને અહેસાસ થયો કે મારે જો સોસાયટીમાં મોટો બદલાવ જોવો હોય તો મારે પૉલિટિક્સ જૉઇન કરવું પડશે.’
પૂનમ ઢિલ્લન
પૂનમ ઢિલ્લનનું કહેવું છે કે સોસાયટીમાં બદલાવ લાવવા માટે મેં પૉલિટિક્સ જૉઇન કર્યું છે. તે હાલમાં વેબ-સિરીઝ ‘દિલ બેકરાર’માં કામ કરી રહી છે. તેણે ૨૦૦૪માં ભારતીય જનતા પાર્ટી જૉઇન કરી હતી. ૨૦૧૯માં તેની મુંબઈ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં પૂનમ ઢિલ્લને કહ્યું કે ‘મારી પર્સનાલિટી એવી છે કે હું જેકંઈ કરું છું એમાં મારી ૧૦૦ ટકા એનર્જી આપું છું. એથી મને એવું નથી લાગતું કે હું બીજું કંઈ મિસ કરી રહી છું. હું જ્યારે પૉલિટિશ્યન તરીકે કામ કરી રહી હતી ત્યારે હું ઍક્ટિંગને મિસ નહોતી કરી રહી, કારણ કે મને અસંતોષ જેવું કંઈ નહોતું. સોસાયટીમાં બદલાવ લાવવા માટે મેં પૉલિટિક્સ જૉઇન કર્યું હતું. હું ઘણી સોશ્યલ ઍક્ટિવિટી કરતી હતી, કારણ કે એવાં થોડાં કાર્યો છે જે મારા દિલની ખૂબ નજીક છે. મને અહેસાસ થયો કે મારે જો સોસાયટીમાં મોટો બદલાવ જોવો હોય તો મારે પૉલિટિક્સ જૉઇન કરવું પડશે.’