નીતુ કપૂરનું કહેવું છે કે લગ્ન બાદ હું મારા દીકરા રણબીર કપૂરમાં બદલાવ જોઈ રહી છું.
રણબીર કપૂર
નીતુ કપૂરનું કહેવું છે કે લગ્ન બાદ હું મારા દીકરા રણબીર કપૂરમાં બદલાવ જોઈ રહી છું. રણબીરે તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે ૧૪ એપ્રિલે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન ધામધૂમથી છતાં સાદાઈથી થયાં હતાં. દીકરાનાં લગ્ન બાદની લાઇફ વિશે પૂછવામાં આવતાં નીતુ કપૂરે કહ્યું કે ‘હું આજે ઘણી ખુશ છું. આલિયાએ તેને ખૂબ પ્રેમ આપ્યો છે. હું રણબીરમાં બદલાવ જોઈ શકું છું. તેઓ બન્ને સાથે પણ સારાં દેખાય છે. હું પોતાને ખૂબ ખુશ અને નસીબદાર માનું છું કે આલિયા અમારી ફૅમિલીમાં આવી. લાઇફ ખરેખર બદલાઈ ગઈ છે, હું ઘણી ખુશ છું. પેલું ટેન્શન હોય છેને કે લગ્ન નથી થઈ રહ્યાં, નથી થઈ રહ્યાં. હવે, લગ્ન થઈ ગયાં છે.’