અનિલ કપૂરનું કહેવું છે કે તે ડિવૉર્સનો વિરોધી નથી. સોસાયટીમાં આજે ડિવૉર્સને લઈને એક અલગ જ માન્યતા છે.
અનિલ કપૂર
અનિલ કપૂરનું કહેવું છે કે તે ડિવૉર્સનો વિરોધી નથી. સોસાયટીમાં આજે ડિવૉર્સને લઈને એક અલગ જ માન્યતા છે. તેમની ‘જુગ જુગ જિયો’માં ડિવૉર્સને લઈને જ વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી પણ જોવા મળી રહ્યાં છે. આપણી સોસાયટીમાં દિવસે-દિવસે ડિવૉર્સની સંખ્યા વધી રહી છે એ વિશે પૂછતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે દરેક વ્યક્તિએ તેમની રીતે ખુશ રહેવું જોઈએ. હું ડિવૉર્સનો વિરોધી નથી, કારણ કે મને લાગે છે કે જો બે જણ સાથે ખુશ ન હોય તો તેમણે અલગ થઈ જવું જોઈએ. એમાં કંઈ ખોટું નથી. લોકોએ લગ્નજીવનમાં પણ ખુશ રહેવું જોઈએ. તેમ જ કોઈએ હંમેશાં માટે સિંગલ રહેવું હોય તો પણ તેને જજ ન કરવા જોઈએ, કારણ કે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં મગજની શાંતિ ખૂબ જ મૅટર કરે છે. છોકરો હોય કે છોકરી, દરેકે તેમની ચૉઇસની પસંદગી કરવી જોઈએ અને આપણે તેમને કરવા દેવી જોઈએ. હું એમાં હમણાંથી વિશ્વાસ કરતો થયો એવું નથી, પરંતુ હું જ્યારથી સમજદાર થયો ત્યારથી એમાં વિશ્વાસ કરું છું.’