સુશાંતના મૃત્યુ વિશે પિન્કી રોશને કહ્યું...
પિન્કી રોશન
સુશાંત સિંહ રાજપૂતના અવસાનને લઈને હૃતિક રોશનની મમ્મી પિન્કી રોશને પણ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેની સાથે જોડાયેલા સત્યને જાણવાની સૌને ઇચ્છા છે. સુશાંતે 14 જૂને બાંદરાના ઘરે સુસાઇડ કરી લીધું હતું. હજી સુધી આ કેસનો કોઈ ઉકેલ નથી આવ્યો. તેના ફૅન્સ પણ સત્ય જાણવા માટે આતુર છે. આ કેસને લઈને અનેક લોકોનાં નિવેદન પણ નોંધવામાં આવ્યાં છે. એવામાં પિન્કી રોશને ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરી હતી. નોટમાં લખવામાં આવ્યું છે કે ‘દરેકને સત્ય જાણવું છે, પરંતુ કોઈને પ્રામાણિક નથી રહેવું.’