તેમની ‘આચાર્ય’ હાલમાં રિલીઝ થવાની તૈયારીમાં છે
ચિરંજીવી
ચિરંજીવીને ઓટીટી પ્લૅટફૉર્મ પસંદ નથી એવી ચર્ચા ચાલી રહી છે. તેમની ‘આચાર્ય’ હાલમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં તેમનો દીકરો રામચરણ પણ કામ કરી રહ્યો છે. આ સાથે જ તેમની ‘ગૉડફાધર’ અને ‘ભોલા શંકર’ પણ આવવાની છે. ચિરંજીવીના સાથી ઍક્ટર્સ બાલક્રિષ્ણા અને નાગાર્જુન શો હોસ્ટ કરે છે. તેમની જેમ ચિંરજીવીને પણ શોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે એ માટે ના પાડી હોવાની ચર્ચા ચાલી હતી. આ સાથે જ ચિરંજીવીને વેબ-શો માટે ખૂબ મોટી કિંમત ઑફર કરવામાં આવી હતી, પણ ચિરંજીવીએ એને પણ ના પાડી દીધી હતી. આથી હાલમાં ઓટીટી પ્લૅટફૉર્મ માટે તૈયાર નથી એવી ચર્ચા ચાલી રહી છે.