ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામું આપી દીધું છે અને હવે તેમની જગ્યાએ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને જવાબદારી મળી છે.
કંગના રનૌત
ટ્વિટર ( Twitter)ના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામું આપી દીધું છે અને હવે તેમની જગ્યાએ ભારતીય મૂળના પરાગ અગ્રવાલ (Parag Agrawal)ને જવાબદારી મળી છે. પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ બનવાના સમાચાર સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. કેટલાક લોકો પરાગ અગ્રવાલના સીઈઓ બનવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો જેક ડોર્સીને હટાવવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.
હંમેશા વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેતી બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ જેક ડોર્સીને ટ્વિટરના સીઈઓ પદેથી હટાવવા અંગે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના રનૌતે લખ્યું,`બાય ચાચા જેક.`
ADVERTISEMENT
નોંધનીય છે કે વિવાદાસ્પદ ટ્વિટને લીધે કંગના રનૌતના ટ્વિટર અકાઉન્ટનો સસ્પેન્ડ કરી દીધું છે. પરંતુ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી દરેક બાબતે પોતાની પ્રતિક્રિયા આપતી રહે છે. પરગા અગ્રવાલે 2011માં ટ્વિટર જોઈન કર્યુ હતું અને 2017માં મુખ્ય તકનીકી અધિકારી બન્યા. ડોર્સીઓ કહ્યું કે પરાગ અગ્રવાલ કંપનીના દરેક નિર્ણયની પાછળ રહ્યાં છે અને કંપનીનો ગ્રોથ કરવામાં તેમનો અમુલ્ય ફાળો રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે,`તે દિલ અને આત્મા સાથે આગળ વધે છે અને તે એક એવા વ્યક્તિ છે જેમની પાસેથી હું રોજ કંઈક શીખું છું. અમારા CEO તરીકે તેમના પર મને ખુબ જ વિશ્વાસ છે.