Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટ ઇન્શાઅલ્લાહ માટે સંજય લીલા ભણસાલીને મળવા પહોંચી?

આલિયા ભટ્ટ ઇન્શાઅલ્લાહ માટે સંજય લીલા ભણસાલીને મળવા પહોંચી?

16 September, 2019 12:36 PM IST |

આલિયા ભટ્ટ ઇન્શાઅલ્લાહ માટે સંજય લીલા ભણસાલીને મળવા પહોંચી?

આલિયા ભટ્ટ ઇન્શાઅલ્લાહ માટે સંજય લીલા ભણસાલીને મળવા પહોંચી?


આલિયા ભટ્ટ તાજેતરમાં જ ‘ઇન્શાઅલ્લાહ’ માટે સંજય લીલા ભણસાલીને મળવા તેમની ઑફિસે ગઈ હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે ‘ઇન્શાઅલ્લાહ’ પર ફરીથી કામ શરૂ કરવામાં આવી શકે છે. થોડા સમય પહેલાં જ સલમાન ખાને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. ત્યાર બાદથી આ ફિલ્મને અભરાઈએ ચડાવી દેવામાં આવી હતી. જોકે હવે એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ પર ટૂંક સમયમાં કામ શરૂ થઈ શકે છે. એવી શક્યતા છે કે આ ફિલ્મમાં સલમાનનો રોલ રણવીર સિંહને આપવામાં આવી શકે છે. આમ છતાં જો રણવીર પાસે ફિલ્મ માટે સમય નહીં હોય તો અન્ય હીરોની શોધ હાથ ધરવામાં આવશે. આ સંદર્ભે હાલમાં તો સંજય લીલા ભણસાલીએ મૌન પાળી રાખ્યું છે.

કરણ જોહર સાથે તખ્ત પર આલિયા ભટ્ટે શરૂ કરી ચર્ચા



ઈન્શાઅલ્લાહની સાથે સાથે આલિયા ભટ્ટે ‘તખ્ત’ને લઈને કરણ જોહર સાથે ચર્ચા કરી હતી. એની જાણકારી તેણે ઇન્સ્ટાસ્ટોરી પર આપી હતી. તેણે એક મગનો ફોટો શૅર કર્યો હતો. એના પર ‘તખ્ત’ લખેલું હતું. સાથે જ આ ફોટોમાં કરણ જોહર પણ દેખાઈ રહ્યો છે. તેઓ ફિલ્મ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી રહ્યાં છે.


આ પણ વાંચો: ધ ગાર્ડિયનમાં બેસ્ટ ૧૦૦ ફિલ્મોના લિસ્ટમાં ભારતીય ફિલ્મ ગૅન્ગ્સ ઑફ વાસેપુર સામેલ

આ એક ઐતિહાસિક ફિલ્મ બનવાની છે. ફિલ્મમાં આલિયા સિવાય રણવીર સિંહ, અનિલ કપૂર, કરીના કપૂર ખાન, ભૂમિ પેડણેકર, વિકી કૌશલ અને જાહ્‍‍નવી કપૂર જોવા મળશે. આ ફિલ્મને કરણ જોહર ડિરેક્ટ કરશે. ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થાય એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 12:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK