વર્સોવાનો આ ફ્લૅટ ૩૦મા ફ્લોર પર છે
વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીએ મુંબઈમાં અંદાજે ૧૭.૯૨ કરોડનો ફ્લૅટ ખરીદ્યો છે. વર્સોવાનો આ ફ્લૅટ ૩૦મા ફ્લોર પર છે. આ આલીશાન ઘર માટે તેમણે ૧.૦૭ કરોડની સ્ટૅમ્પ-ડ્યુટી ભરી છે. એવું જાણવા મળ્યું છે કે આ મકાન ૩૨૫૮ સ્ક્વેર ફીટના એરિયામાં ફેલાયેલું છે. એની સાથે ત્રણ પાર્કિંગ સ્લૉટ છે. ૨૭ સપ્ટેમ્બરે તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમણે સીધા ડેવલપર પાસેથી આ પ્રૉપર્ટી ખરીદી છે. વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી ‘ધ કશ્મીર ફાઇલ્સ’ લોકોને ખૂબ ગમી હતી. આ ફિલ્મમાં કાશ્મીરમાં પંડિતો સાથે થયેલા અમાનવીય અત્યાચારની ઘટનાનો ચિતાર દેખાડવામાં આવ્યો હતો.