Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક-જાહ્નવી વચ્ચે નથી રહ્યા હવે દોસ્તાના?

કાર્તિક-જાહ્નવી વચ્ચે નથી રહ્યા હવે દોસ્તાના?

30 January, 2021 04:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્તિક-જાહ્નવી વચ્ચે નથી રહ્યા હવે દોસ્તાના?

કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર

કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર


કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર વચ્ચેના દોસ્તાના ખતમ થયા હોય એવું લાગી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે બન્નેએ એકબીજાને સોશ્યલ મીડિયામાં અનફૉલો કર્યા છે. કેટલાક ફૅન પેજ પર લખવામાં આવ્યું છે કે જાહ્નવીએ કાર્તિકને બ્લૉક કર્યો છે તો કેટલાકનું માનવું છે કે આ માત્ર એક અફવા છે. આ બન્ને ‘દોસ્તાના 2’માં સાથે કામ કરી રહ્યાં છે. લૉકડાઉન પહેલાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે લૉકડાઉનમાં હવે રાહત મળતાં સ્થિતિ ફરી નૉર્મલ બની રહી છે. મેકર્સે પણ આ ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલાં જ આ બન્ને ગોવામાં સાથે ગયાં હતાં. જોકે તેમની આ ટ્રિપ કામને લગતી હતી કે રોમૅન્ટિક એ સ્પષ્ટ થઈ શક્યું નથી. તેમના રિલેશનને લઈને ભલે જે પણ અફવા ફેલાતી હોય પરંતુ સમય આવતાં વસ્તુસ્થિતિ સાફ થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2021 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK