Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ કલાક ઍરક્રાફ્ટમાં રાહ જોવડાવ્યા બાદ ફ્લાઇટ કૅન્સલ કરનાર ઍરલાઇન પર વીફરી દિયા મિર્ઝા

ત્રણ કલાક ઍરક્રાફ્ટમાં રાહ જોવડાવ્યા બાદ ફ્લાઇટ કૅન્સલ કરનાર ઍરલાઇન પર વીફરી દિયા મિર્ઝા

23 May, 2022 02:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિયા મિર્ઝાએ વિસ્તારા ઍરલાઇન સાથે થયેલા કડવા અનુભવને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા


દિયા મિર્ઝાએ વિસ્તારા ઍરલાઇન સાથે થયેલા કડવા અનુભવને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. તેણે જણાવ્યું છે કે તમામ યાત્રીઓને ત્રણ કલાક ઍરક્રાફ્ટમાં બેસાડી રાખ્યા બાદ ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી હતી એટલું જ નહીં, લોકોની બૅગ્સ પણ ગુમ થઈ ગઈ હતી. અનેક પ્રવાસીઓએ પણ એની ફરિયાદ કરી હતી. ફરિયાદ કરતાં ટ્વિટર પર દિયા મિર્ઝાએ ટ્વીટ કર્યું હતું, ‘દિલ્હી જનારી UK904 ફ્લાઇટને જયપુર ડાઇવર્ટ કરવામાં આવી હતી. ૩ કલાક સુધી અમે ઍરક્રાફ્ટમાં રાહ જોઈ રહ્યાં હતાં. બાદમાં અમને કહેવામાં આવ્યું કે ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી છે અને તમારે પ્લેનમાંથી ઊતરવું પડશે. ઍરપોર્ટ ઑથોરિટી કે પછી વિસ્તારાના સંબંધિત અધિકારીઓ અમને મદદ કરવા કે જવાબ આપવા માટે તૈયાર નહોતા. અમારી બૅગ્સ ક્યાં છે?’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK