‘ન્યાય : ધ જસ્ટિસ’માં ઝુબેર ખાન અને શ્રેયા શુક્લા લીડ રોલમાં છે
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતના કેસ પરથી બનેલી ફિલ્મ ‘ન્યાય : ધ જસ્ટિસ’ને દિલ્હી કોર્ટે સ્ટે ન આપતાં હવે એને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં ઝુબેર ખાન અને શ્રેયા શુક્લા લીડ રોલમાં છે. ઈડી ચીફ તરીકે અમન વર્મા, મહિન્દર સિંહના પિતા તરીકે અસરાની, એન.સી.બી. ચીફ તરીકે શક્તિ કપૂર અને મુંબઈ પોલીસ કમિશનર તરીકે અનંત જોગ જોવા મળશે. થિયેટર્સ ફરી શરૂ થયા બાદ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને દિલીપ ગુલાટી દ્વારા ડિરેક્ટ અને સરલા એ. સરાઓગી અને રાહુલ શર્મા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ વિશે રાહુલ શર્માએ કહ્યું હતું કે ‘અમને વિશ્વાસ હતો કે અમને સિસ્ટમ દ્વારા ન્યાય આપવામાં આવશે અને આ નિર્ણયથી અમે ખુશ છીએ. અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે અમે આ ફિલ્મને આ ઘટના પરથી પૈસા કમાવવા માટે નથી બનાવી. જોકે અમે ઇચ્છીએ કે તેને ન્યાય મળે અને સત્ય બહાર આવે.’