Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘આચાર્ય’ના નુકસાનની ભરપાઈ કરશે રામચરણ?

‘આચાર્ય’ના નુકસાનની ભરપાઈ કરશે રામચરણ?

13 May, 2022 01:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તે તેના પિતા ચિરંજીવી સાથે જોવા મળ્યો હતો

રામચરણ

રામચરણ


‘આચાર્ય’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ હોવાથી એના નુકસાનની ભરપાઈ રામચરણ કરશે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તે તેના પિતા ચિરંજીવી સાથે જોવા મળ્યો હતો. ફિલ્મ લોકોને આકર્ષિત તો ન કરી શકી પરંતુ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના પૈસા ડૂબી ગયા. આ જ કારણ છે કે થોડા સમય પહેલાં ડિસ્ટ્રિબ્યુટર્સે વળતરની માગણી કરતો પત્ર ચિરંજીવીને લખ્યો હતો. આથી ફિલ્મના પ્રોડ્યુસર રામચરણે તેમને વળતર આપવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ખૂબ સફળ થશે એવી આશાએ અનેક રોકાણકારોએ ફિલ્મમાં અઢળક પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા. પહેલી વખત પિતા-પુત્ર ચિરંજીવી અને રામચરણની જોડી લોકોને આ ફિલ્મ દ્વારા જોવા મળી હતી. એથી તેમને પૂરી ખાતરી હતી કે ફિલ્મ અપાર સફળતા મેળ‍વશે. નુકસાનની ભરપાઈ કરવાની જાહેરાત હજી સુધી રામચરણ તરફથી નથી કરવામાં આવી. એ જોવાનું રહેશે કે કેટલું અને ક્યારે વળતર આપવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2022 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK