Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજીવ સેન સાથે ડિવૉર્સની ચર્ચા વચ્ચે શું આ છે ચારુ અસોપાનું કન્ફર્મેશન?

રાજીવ સેન સાથે ડિવૉર્સની ચર્ચા વચ્ચે શું આ છે ચારુ અસોપાનું કન્ફર્મેશન?

24 June, 2022 07:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અત્યાર સુધી કોઈએ આ વાતને લઈને કંઈ પણ કહ્યું નથી અને માનવામાં આવતું હતું કે બધું બરાબર હશે. પણ અભિનેત્રીએ તાજેતરમાં જે પોસ્ટ શૅર કરી છે તેણે બધાને ચોંકાવી દીધા છે.

ચારુ અસોપા (ફાઈલ તસવીર)

ચારુ અસોપા (ફાઈલ તસવીર)


એક્ટ્રેસ ચારુ અસોપા (Charu Asopa) અને રાજીવ સેન (Rajeev Sen)ની પર્સનલ લાઈફ હાલ ચર્ચામાં છવાયેલી છે. બન્નેના સંબંધમાં સતત વિવાદની ચર્ચાઓ છે અને કહેવામાં આવી રહ્યું છે કે બન્ને ટૂંક સમયમાં જ ડિવૉર્સ લઈ શકે છે. ચારુએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પતિ રાજીવની બધી તસવીરો ડિલીટ કરી દીધી હતી. ત્યાર બાદ બન્નેનાં અલગ રહેવાના પણ સમાચાર હતા. કપલની 7 મહિનાની દીકરી જિયાના પણ છે. અત્યાર સુધી કોઈએ આ વાતને લઈને કંઈ પણ કહ્યું નથી અને માનવામાં આવતું હતું કે બધું બરાબર હશે. પણ અભિનેત્રીએ તાજેતરમાં જે પોસ્ટ શૅર કરી છે તેણે બધાને ચોંકાવી દીધા છે. ચારુએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શૅર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

ચારુ અસોપાએ વ્યક્ત કર્યું પોતાનું દુઃખ
ચારુ અસોપા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને મોટાભાગે કંઇક ને કંઇક શૅર કરતી રહે છે. આ વચ્ચે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શૅર કરી છે. આ સ્ટોરીમાં લખ્યું છે, "અંતર ક્યારેય કોઈપણ સંબંધને ખતમ કરી શકે નહીં પણ ઓછી વાતો અને મોડા જવાબ ખતમ કરી દેતા હોય છે."



ચારુએ લખ્યું- જે વસ્તુ આનંદ ન આપે તેનાથી દૂર થઈ જાઓ
અભિનેત્રીએ પોતાની બીજી ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાની જ એક તસવીર શૅર કરી છે, જેના કૅપ્શનમાં તેણે લખ્યું, "તમારું સન્માન કરો અને તે દરેક વસ્તુથી દૂર થઈ જાઓ જે તમને આનંદ નથી આપી રહી કે આગળ વધવા નથી આપી રહી." ચારુની આ પોસ્ટ જોઈને ચાહકો ફરીથી ચિંતામાં છે અને કોમેન્ટ કરીને તેને પ્રશ્ન પૂછી રહ્યા છે. આ બન્ને પોસ્ટ જોતાં કહી શકાય છે કે એક્ટ્રેસ અને તેના પતિ વચ્ચે વસ્તુઓમાં સુધારો નથી.


ચારુ અસોપા અને રાજીવ સેને એક બીજાને ડેટ કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બન્નેએ વર્ષ 2019માં લગ્ન કર્યા હતા અને 2021માં કપલના ઘરે દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ કપલે જિયાના રાખ્યું છે, જેના પર ચારુની નણંદ એટલે કે અભિનેત્રી સુષ્મિતા સેન ખૂબ જ પ્રેમ વરસાવે છે. હાલ બધા ઇચ્છે છે કે ચારુ અને રાજીવના સંબંધ ન તૂટે અને બન્ને મળીને આને સાચવી લે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2022 07:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK