દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં ગૌરવ ગુલાટી નામના માણસે આ સેલિબ્રિટીઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે
સલમાન ખાન
સલમાન ખાન અને અક્ષયકુમાર સહિત હાલમાં ઘણી સેલિબ્રિટીઝ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ૨૦૧૯માં હૈદરાબાદમાં એક બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેનું મર્ડર કરવામાં આવ્યું હતું. ભારતીય કાયદા અનુસાર બળાત્કાર થયેલી વ્યક્તિની ઓળખ છતી ન કરી શકાય. જોકે સેલિબ્રિટીઝે દુઃખ વ્યક્ત કરવાની સાથે આ વ્યક્તિનું નામ પણ જાહેર કરી દીધું હતું. આથી દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં ગૌરવ ગુલાટી નામના માણસે આ સેલિબ્રિટીઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સલમાન અને અક્ષયની સાથે અજય દેવગનનું નામ પણ સામેલ છે. વકીલે કરેલી ફરિયાદમાં ૩૮ મોટી સેલિબ્રિટીઝનાં નામ છે અને તેમના વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ કાઢવાની પણ તેણે ડિમાન્ડ કરી છે. આ ફરિયાદમાં તેમની સાથે અભિષેક બચ્ચન, ફરહાન અખ્તર, અનુપમ ખેર, અરમાન મલિક, કરણવીર બોહરા, મધુર ભંડારકર, રવિ તેજા, અલુ સિરીશ, હરભજન સિંહ, શિખર ધવન, સાઇના નેહવાલ, પરિણીતી ચોપડા, દિયા મિર્ઝા, સ્વરા ભાસ્કર, રકુલ પ્રીત સિંહ, ઝરીન ખાન, યામી ગૌતમ, રિચા ચઢ્ઢા, કાજલ અગરવાલ, શબાના આઝમી, હંસિકા મોટવાણી, પ્રિયા મલિક, મેહરીઝ પીરજાદા, નિધિ અગરવાલ, ચાર્મી કૌલ, અશિકા રંગનાથ જેવા ઘણા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.