Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાન દંગલના કુસ્તીગુરુને પગે લાગ્યો

આમિર ખાન દંગલના કુસ્તીગુરુને પગે લાગ્યો

Published : 13 March, 2025 11:12 AM | Modified : 15 March, 2025 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં ઇન્ટરનેટ પર આમિર ખાનનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે એક વ્યક્તિના ચરણસ્પર્શ કરી રહ્યો છે. આ વ્યક્તિ છે અર્જુન અવૉર્ડ વિજેતા કૃપાશંકર પટેલ. કૃપાશંકર પટેલે આમિરને ફિલ્મ દંગલ માટે કુસ્તી શીખવાડી હતી, જેને આમીર પોતાના ગુરુ માને છે.

આમિર ખાન કૃપાશંકર પટેલના ચરણસ્પર્શ કર્યા

આમિર ખાન કૃપાશંકર પટેલના ચરણસ્પર્શ કર્યા


હાલમાં ઇન્ટરનેટ પર આમિર ખાનનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે એક વ્યક્તિના ચરણસ્પર્શ કરી રહ્યો છે. આ વ્યક્તિ છે અર્જુન અવૉર્ડ વિજેતા કૃપાશંકર પટેલ. હકીકતમાં ઇન્દોરના કૃપાશંકર આમિર ખાનને મળવા તેના ઘરે ગયા હતા ત્યારે તે પગે લાગ્યો હતો. જોકે એ સમયે કૃપાશંકરે તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેણે સાંભળ્યું જ નહોતું. એ પછી તેઓ આમિરને ભેટ્યા ત્યારે આમિરે કહ્યું કે હું તમને મળું છું ત્યારે મને ઊર્જા મળે છે.

આમિર કુસ્તીમાં કૃપાશંકર પટેલને પોતાના ગુરુ માને છે. કૃપાશંકરે તેમને ફિલ્મ ‘દંગલ’ માટે કુસ્તી શીખવાડી હતી.

આ મુલાકાત વખતે ભારતીય રેલવે રેસલિંગ ટીમના લગભગ ૮૦ સ્ટાર પહેલવાનો આમિરને તેના ઘરે મળ્યા હતા અને આમિરે ઘરે આવેલા તમામ રેલવે કુસ્તીબાજોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં ભારતીય કુસ્તી સાથે સંબંધિત ઘણાં પાસાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી.


કૃપાશંકર પટેલે આમિરને ફિલ્મ દંગલ માટે કુસ્તી શીખવાડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK