વનરાજ ભાટિયા ભારતીય ન્યુ વેવ સિનેમા માટે ખૂબ જ જાણીતા હતા. શ્યામ બેનેગલની ‘અંકુર’ અને નસીરુદ્દીન શાહની ‘જાને ભી દો યારો’ના મ્યુઝિક માટે તેઓ ખૂબ જ જાણીતા હતા.
વનરાજ ભાટિયા
૭૦૦૦થી વધુ જિંગલ્સ બનાવ્યાં હતાં
વનરાજ ભાટિયાનો જન્મ ૧૯૨૭ની ૩૧મેએ મુંબઈમાં થયો હતો. તેમણે લંડનની રૉયલ ઍકૅડેમી ઑફ મ્યુઝિક અને પૅરિસ કન્ઝર્વેટરીમાં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકની સ્ટડી કરી હતી. ત્યાર બાદ તેઓ ૧૯૫૯માં ભારત પાછા ફર્યા અને દિલ્હીની યુનિવર્સિટીની વેસ્ટર્ન મ્યુઝિકોલૉજીમાં રીડર તરીકે કામ કર્યું હતું. તેમણે લગભગ ૭ હજાર ઍડ્વર્ટાઇઝિંગ જિંગલ્સ બનાવ્યાં છે. આ સિવાય તેમણે હિન્દી ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત આપ્યું છે. તેમની ફિલ્મોમાં ‘અંકુર’, ‘જાને ભી દો યારો’, ‘બેટા’, ‘દામિની’, ‘ઘાતક’, ‘પરદેસ’ અને ‘ચમેલી’ સામેલ છે. સાથે જ તેમણે કેટલીક ટીવી સિરિયલ્સ જેવી કે ‘વાગલે કી દુનિયા’, ‘ભારત એક ખોજ’, ‘ખાનદાન’, ‘નકાબ’ અને ‘બનેગી અપની બાત’માં પણ સંગીત આપ્યું હતું. તેમને ૧૯૮૮માં આવેલી ટેલિવિઝન ફિલ્મ ‘તમસ’ માટે બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનનો નૅશનલ ફિલ્મ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વનરાજ ભાટિયાના અવસાન વિશે સાંભળીને ખૂબ આંચકો લાગ્યો છે. ‘વાગલે કી દુનિયા’ અને ‘જાને ભી દો યારો’માં આપેલા યાદગાર સંગીતને કારણે તેઓ હંમેશાં યાદ રહેશે. તેમના પ્રિયજનો અને ફૅન્સ પ્રતિ શોક વ્યક્ત કરું છું.
ફરહાન અખ્તર
એક્રટર
RIP વનરાજ ભાટિયા. તેમણે પોતાના કામમાં બ્રિલિયન્ટ મ્યુઝિક આપ્યું છે. જોકે એ બધામાં મને ‘તમસ’ની થીમ ખૂબ જ પસંદ છે જે રોષને દેખાડે છે. એ સાંભળતાં જ કોઈને પણ હચમચાવી નાખે અને દિલને તોડી પાડે એવું છે.
અશોક પંડિત
સંગીતકાર
ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક પ્રસિદ્ધ સંગીતકાર વનરાજ ભાટિયાને ગુમાવ્યા છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમનું કામ લોકો માટે પ્રેરણા સમાન છે. આ મહાન સંગીતકારની ફૅમિલી માટે દિલથી શોક સંદેશ પાઠવું છું.