Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યને અમને નાણાકીય મદદ પણ કરી છે : ભૂષણ કુમાર

કાર્તિક આર્યને અમને નાણાકીય મદદ પણ કરી છે : ભૂષણ કુમાર

14 June, 2022 01:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂષણ કુમારની ‘શહઝાદા’માં કાર્તિક કામ કરી રહ્યો છે

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


ટી-સિરીઝના ભૂષણ કુમારે જણાવ્યું છે કે કાર્તિક આર્યને તેમના કપરા સમયમાં તેમને સપોર્ટ કર્યો છે. ભૂષણ કુમારની ‘શહઝાદા’માં કાર્તિક કામ કરી રહ્યો છે. આ ફિલ્મ સાઉથની ‘અલા વૈકુંઠપુરમુલુ’ની હિન્દી રીમેક છે. થોડા સમય પહેલાં એવું સાંભળવા મળ્યું હતું કે ‘અલા વૈકુંઠપુરમુલુ’નું હિન્દી ડબ વર્ઝન થિયેટરમાં રિલીઝ થવાનું છે. આથી તે ફિલ્મ છોડી દેશે એવી ચર્ચા ચાલી હતી. જોકે અંતે આ ઓરિજિનલ ફિલ્મને હિન્દીમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કાર્તિકે આપેલા સપોર્ટને લઈને ભૂષણ કુમારે કહ્યું કે ‘અમારી આગામી ફિલ્મ ‘શહઝાદા’ છે. અમે એને ‘ભૂલભુલૈયા 2’થી પણ વધુ સારી બનાવવા માગીએ છીએ. જોકે ‘ભૂલભુલૈયા 2’ અમારો બેન્ચમાર્ક નથી, કારણ કે બન્ને ફિલ્મોનું ફાઇનૅન્સ અલગ છે. અમારા કપરા સમયમાં કાર્તિક અમારી પડખે ઊભો રહ્યો છે. એ પ્રશંસાને પાત્ર છે. કાર્તિકે અમને નાણાકીય પ્રૉબ્લેમમાં ખૂબ સપોર્ટ કર્યો હતો. મોટા બજેટની ફિલ્મ બનાવવા માટે આ ખૂબ ઉપયોગી થાય છે. આજે જો ઍક્ટર ફી વધારે માગે તો અમારે અમારા બજેટમાં ઘટાડો કરવો પડે છે.’

171.17
ચોવીસ દિવસમાં ‘ભૂલભુલૈયા 2’એ આટલા કરોડનો બિઝનેસ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2022 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK