બાળ ઠાકરેનો ગુનેગાર છું : શાહરુખનો વસવસો
ADVERTISEMENT
શાહરુખે ગઈ કાલે બાળ ઠાકરેના નિધન બદલ શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમે વ્યક્તિગત મુદ્દા ટાળવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ઘણું મોડું થઈ ગયું. મારે બાળાસાહેબને જાતે જઈને મળવું જોઈતું હતું અને અમારા પ્રૉબ્લેમ્સ સૉલ્વ કરવા જોઈતા હતા.’
૨૦૦૮માં આઇપીએલની કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં પાકિસ્તાનના ક્રિકેટરોને રમવા માટેની પરવાનગી માટે અને ‘માય નેમ ઇઝ ખાન’ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે પણ બાળ ઠાકરેએ શાહરુખ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. ૨૦૧૨માં પણ આઇપીએલની મૅચ દરમ્યાન સાધારણ ગુના માટે સિક્યૉરિટી ગાર્ડ સાથે થયેલા ઝઘડામાં પણ બાળ ઠાકરેએ શાહરુખ વિરૂદ્ધ ટિપ્પણીઓ કરી હતી.