Covid-19એ કટપ્પાને પણ ન છોડ્યા, અભિનેતા લઇ રહ્યા છે હૉસ્પિટલમાં સારવાર
Coronavirus
તસવીર સૌજન્ય મિડ-ડે
દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સિનેમા અને ટીવી સાથે જોડાયેલા લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. બૉલિવૂડની સાથે હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી પણ Covid-19ના કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ બાહુબલી (Baahubali) ફિલ્મમાં કટપ્પાના (Katappa) નામથી ફેમસ થયેલા સાઉથના દિગ્ગજ અભિનેતા સત્યરાજ (Sathyaraj)પણ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ પછી તે હોમ આઇસોલેશનમાં હતો. અહેવાલો અનુસાર, તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં સત્યરાજના સ્વાસ્થ્યને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અભિનેતા સત્યરાજને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા હળવા લક્ષણો અનુભવવાને કારણે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તે કોરોના સંક્રમિત જણાયો હતો. અહેવાલો અનુસાર, તેમની તબિયતમાં સુધારો ન થવાને કારણે, 7 જાન્યુઆરી, શુક્રવારે સાંજે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસોમાં, તેલુગુ ફિલ્મ ઉદ્યોગના ઘણા સેલેબ્સે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ, મંચુ મનોજ, મંચુ લક્ષ્મી, મ્યુઝિક ડાયરેક્ટર તમન, નીતિનની પત્ની અને એક્ટર વિશ્વ સેન જેવા ઘણા ફિલ્મ સ્ટાર્સ કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે. આ સાથે જ સમાચાર આવ્યા કે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ સંક્રમિત જોવા મળી છે.