Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ચંડીગઢ કરે આશિકી’ની સ્ટોરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી હતી : આયુષ્માન ખુરાના

‘ચંડીગઢ કરે આશિકી’ની સ્ટોરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી હતી : આયુષ્માન ખુરાના

10 January, 2022 01:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ જોવા મળી હતી

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાએ જણાવ્યું છે કે તેની ઇચ્છા ‘ચંડીગઢ કરે આશિકી’ની સ્ટોરી વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાની હતી. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ જોવા મળી હતી. તે આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર બની હતી. થિયેટર્સમાં રિલીઝ થયા બાદ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થયાના ૨૪ કલાકમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મના વિષય પર આયુષ્માને કહ્યું કે ‘અમારે આ જેન્ડરને સમાજમાં સામેલ કરવા પર ચર્ચા કરવામાં આવે એવી ઇચ્છા હતી. એ માટે વધુમાં વધુ લોકો જુએ અને એની સાથે જોડાઈ જાય એ અગત્યનું હતું. એથી અમારે એવી ફિલ્મ બનાવવી હતી જે વધુમાં વધુ લોકોને સ્પર્શી જાય. ‘ચંડીગઢ કરે આશિકી’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવ્યાના ૨૪ કલાકમાં જ સૌથી વધુ જોવામાં આવી હતી. આ ફિલ્મને ખૂબ પ્રેમ, દિલ અને પ્રાણ પૂરીને બનાવવામાં આવી છે. આ ફિલ્મે અનેક લોકોને મનોરંજન આપ્યું અને સમાજ માટે અગત્યનો, સકારાત્મક સંદેશ પહોંચાડ્યો એ વાતની ખુશી છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK