Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આયુષ્માન અને અપારશક્તિએ મુંબઈમાં ખરીદ્યું લગ્ઝ્યુરિયરસ ઘર, આટલી છે કિંમત

આયુષ્માન અને અપારશક્તિએ મુંબઈમાં ખરીદ્યું લગ્ઝ્યુરિયરસ ઘર, આટલી છે કિંમત

11 January, 2022 05:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે આ લિસ્ટમાં બૉલિવૂડના ટેલેન્ટેડ બ્રધર્સ આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાનાનું નામ પણ જોડાઈ ગયું છે. લેટેસ્ટ રિપૉર્ટ્સ પ્રમાણે, બન્ને ભાઈઓએ મુંબઈના એક જ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં ઘર ખરીદ્યું છે.

આયુષ્માન ખુરાના (ફાઇલ તસવીર)

આયુષ્માન ખુરાના (ફાઇલ તસવીર)


મુંબઈ શહેરમાં એક સારું અને લગ્ઝ્યુરિયસ ઘર ખરીદવું દરેક સ્ટારનું સપનું હોય છે. ગયા વર્ષે અનેક સેલેબ્સે મુંબઈમાં શાનદાર વિલા અને અપાર્ટમેન્ટની ખરીદી કરી પોતાના સપના પૂરા કર્યા હતા. હવે આ લિસ્ટમાં બૉલિવૂડના ટેલેન્ટેડ બ્રધર્સ આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાનાનું નામ પણ જોડાઈ ગયું છે. લેટેસ્ટ રિપૉર્ટ્સ પ્રમાણે, બન્ને ભાઈઓએ મુંબઈના એક જ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં ઘર ખરીદ્યું છે.

આયુષ્માન ખુરાનાએ ઘણાં ઓછા સમયમાં બૉલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે અને આનું કારણ ફિલ્મો માટે તેની પસંદગી અને પર્ફૉર્મન્સ જ છે. જ્યાં પ્રૉફેશનલી આયુષ્માન સતત પોતાને બહેતર સાબિત કરી રહ્યો છે, તો પર્સનલ લાઇફમાં એક મોટું પગલું લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આયુષ્માન ખુરાનાએ પોતોના સપનોની નગરી મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું છે.



રિપૉર્ટ્સ પ્રમાણે, આયુષ્માન ખુરાનાએ મુંબઈમાં પોતાનું ઘર ખરીદી લીધું છે. આ ડ્રીમ હાઉસની કિંમત કરોડોમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘરની સાથે ચાર કાર માટે પાર્કિંગ સ્પેસ પણ છે. મની કન્ટ્રોલના રિપૉર્ટ પ્રમાણે, ટૂંક સમયમાં આયુષ્માન પોતાના બાળકો અને પત્ની સાથે નવા ઘરમાં એન્ટ્રી લેવાના છે.


રિપૉર્ટ્સ પ્રમાણે, આ અપાર્ટમેન્ટની રજિસ્ટ્રી 29 નવેમ્બર 2021ના થઈ ચૂકી છે જે માટે એક્ટરે 96.50 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પે કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે એરિયા 4,027 સ્કેવર ફીટમાં ફેલાયેલ છે.

આ પહેલા આયુષ્માને પોતાના હોમટાઉન પંચકુલામાં એક શાનદાર બંગલો ખરીદ્યો છે. આયુષ્માને આ ઘર એટલા માટે ખરીદ્યું જેથી તેનો આખો પરીવાર એકસાથે રહી શકે. આને લઈને આયુષ્માને કહ્યું પણ હતું, `ખુરનાઝે નવું ફેમિલી હોમ ખરીદ્યું છે. આખી ફેમિલીએ આ નવા ઘરને ખરીદવાનો નિર્ણય લીધો જ્યાં આખી ખુરાના ફેમિલી એકસાથે રહી શકે છે.`


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

આયુષ્માન ખુરાના સિવાય અર્જુન કપૂરે પણ તાજેતરમાં જ પોતાની માટે એક નવું ઘર ખરીદ્યું છે, જેની કિંમત લગભગ 20 કરોડ કહેવામાં આવી છે. અર્જુનનું આ નવું ઘર મલાઇકા અરોરાના ઘરની નજીક જ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

આયુષ્માન ખુરાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તેમની ફિલ્મ `ચંડીગઢ કરે આશિકી` રિલીઝ થઈ છે, જેમાં લીડ રોલમાં તેની સાથે વાણી કપૂર જોવા મળી છે. ફિલ્મ ઑડિયન્સ અને ક્રિટિક્સ દ્વારા પણ ખૂબ જ વખણાઈ છે. આ સિવાય અનુભવ સિન્હાની ફિલ્મ અનેકમાં પણ આયુષ્માન ખુરાના જોવા મળશે. આ ફિલ્મમાં વિકાસ શર્મા અને શેફાલી ગાંગુલી મુખ્ય ભૂમિકામાં છે.

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2022 05:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK