Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શા માટે ‘એક વિલન’માં કામ ન કરી શક્યો અર્જુન કપૂર?

શા માટે ‘એક વિલન’માં કામ ન કરી શક્યો અર્જુન કપૂર?

02 July, 2022 03:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે હવે તે એ ફિલ્મની સીક્વલ ‘એક વિલન રિટર્ન્સ’માં કામ કરી રહ્યો છે

અર્જુન કપૂર

અર્જુન કપૂર


અર્જુન કપૂરે જણાવ્યું છે કે કયાં કારણોસર તે ‘એક વિલન’માં કામ નહોતો કરી શક્યો. જોકે હવે તે એ ફિલ્મની સીક્વલ ‘એક વિલન રિટર્ન્સ’માં કામ કરી રહ્યો છે. એ ફિલ્મમાં તેની સાથે જૉન એબ્રાહમ, દિશા પટણી અને તારા સુતરિયા લીડ રોલમાં છે. મોહિત સૂરિએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૨૯ જુલાઈએ રિલીઝ થવાની છે. અર્જુન કપૂરને ‘એક વિલન’માં કામ કરવાની ખૂબ ઇચ્છા હતી, પરંતુ તે કામ ન કરી શક્યો. એનું કારણ જણાવતાં અર્જુન કપૂરે કહ્યું કે ‘એ વખતે હું મારા ડૅડીની ફિલ્મ ‘તેવર’માં કામ કરી રહ્યો હતો અને આ જ કારણ છે કે હું એમાં કામ ન કરી શક્યો. આ વખતે જ્યારે મોહિત સૂરિ આ ફિલ્મ લઈને મારી પાસે આવ્યા તો મેં કહ્યું કે આ નિયતિ છે. હું આ ફિલ્મમાં સામેલ થઈ શકું એટલા માટે જ આ ફિલ્મ બની છે. મેં નક્કી કર્યું કે મારે આ તક નથી જવા દેવી. મારી પહેલી ફિલ્મથી જ હું નસીબદાર છું કે મેં અત્યાર સુધી જે પણ રોલ ભજવ્યા છે એ બધા અલગ રહ્યા છે. એ પછી ‘ઔરંગઝેબ’ હોય કે પછી ‘ઇશકઝાદે’ હોય. નેગેટિવ રોલ કરવાથી હું કદી પણ ગભરાયો નથી. એથી મને એ વાતની ખુશી છે કે મેં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછો આવ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK