આ કારણે 'હાફ ગર્લફ્રેન્ડ'માં સુશાંતની જગ્યા લીધી હતી અર્જુન કપૂરે
સુશાંત સિંહ રાજપુત, અર્જુન કપૂર (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આતમ્હત્યા બાદ બૉલીવુડમાં નેપોટિઝમના મુદ્દાએ ફરી જોર પકડયું છે. ભારતીય લેખક ચેતન ભગતે પાંચ વર્ષ પહેલા કરેલું એક ટ્વીટ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થતા અભિનેતા અર્જુન કપૂર પર ફૅન્સ નિશાનો સાધી રહ્યાં છે. ચેતન ભગતે ટ્વીટમાં લખ્યું હતું કે, 'હાફ ગર્લફ્રેન્ડ' ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત મુખ્ય ભૂમિકામાં છે.
સાત નવેમ્બર 2015ના રોજ ચેતન ભગતે ટ્વીટ કર્યું હતું કે, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે મોહિત સુરી દિગ્દર્શિત ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ'માં સુશાંત સિંહ રાજપુત મુખ્ય ભૂમિકા ભજવશે અને શૂટિંગ જાન્યુઆરી 2016માં શરૂ થશે.
ADVERTISEMENT
યુર્ઝસ પાંચ વર્ષ જુનું ચેતન ભગતનું આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અર્જુન કપૂર પર નેપોટિઝમનો આરોપ લગાવી રહ્યાં છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે, 'હાફ ગર્લફ્રેન્ડ'માં સુશાંત સિંહ રાજપુત હતો તો પછી સ્ટાર કિડ અર્જુન કપૂરને શા માટે લેવામાં આવ્યો. ફૅન્સ અર્જુન કપૂરને ટ્રોલ કરી રહ્યાં છે એટલું જ નહીં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સ્ટાર કિડ્સને બહિષ્કાર કરવાની માગણી કરી રહ્યાં છે.
પરંતુ 'હાફ ગર્લફ્રેન્ડ'માં સુશાંત સિંહ રાજપુતની જગ્યા અર્જુને કપૂરે લીધી તેનું કારણ શું ખરેખર નેપોટિઝમ જ છે?
2016માં સુશાંતે આપેલા એક ઈન્ટવ્યુમાં આ આખી ઘટનાની સચ્ચાઈ ખબર પડે છે. 2016માં સુશાંત સિંહ રાજપુતે ડીએનએને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં દિનેશ વિજનની ફિલ્મ 'રાબતા' સાઈન કરી લીધી હોવાથી મને તારીખનો પ્રોબ્લેમ થઈ રહ્યો હતો તેથી મારે મોહિત સુરીની ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' છોડી દેવી પડી હતી. મને 'હાફ ગર્લફ્રેન્ડ'ની ઓફર આપવામાં આવી તેના બહુ સમય પહેલા મે દિનેશ વિજનની ફિલ્મ માટે હા પાડી દીધી હતી. બન્ને ફિલ્મોના શૂટિંગની તારીખોમાં મૂંઝવણ થવાથી મારે એક ફિલ્મની પસંદગી કરવાની હતી. તો મે દિનેશ વિજનની ફિલ્મ પસંદ કરી કારણકે મેં તેના માટે પહેલા હા પાડી હતી.
'હાફ ગર્લફ્રેન્ડ' અને 'રાબતા'માંથી નીકળી જવા બદલ સુશાંત સિંહ રાજપુત પર તે સમયે અનેક આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. ત્યારે ડીએનએને 2016માં આપેલા અન્ય એક ઈન્ટરવ્યુમાં સુશાંતે કહ્યું હતું કે, બે ફિલ્મો સાઈન કરવા માટે તેણે બાર ફિલ્મો ગુમાવી હતી. જેમાંથી એક તો બની જ નહોતી.