ટોટલ ૧૦,૮૨,૩૮,૫૪૮ રૂપિયા ૧૮,૭૭૨ લોકોએ દાન કર્યા છે
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હવે સાત કરોડની જગ્યાએ અગિયાર કરોડ ભેગા કરવા જઈ રહ્યાં છે. તેમણે કોરોનામાં લોકોને મદદ કરવા માટે કીટો સાથે મળીને ફન્ડ ભેગું કરવાની પહેલ શરૂ કરી હતી. આ માટે તેમણે બે કરોડ રૂપિયા આપ્યા હતા અને તેમણે સાત કરોડ ભેગા કરવાનો ટાર્ગેટ બનાવ્યો હતો. આ માટે તેમણે ૧૪ મે સુધીનો સમય નક્કી કર્યો હતો. આ ફન્ડમાં સાત કરોડ તરત જ જમા થતાં તેમણે ટાર્ગેટ વધારીને અગિયાર કરોડ કરી લીધો હતો. અત્યાર સુધીમાં ૧૦.૮૨ કરોડ ભેગા થયા છે. અનુષ્કાએ પણ ટ્વીટ કરીને તેનો ટાર્ગેટ વધાર્યો હોવાનું જણાવ્યું હતું.